કોડીનાર,
તા. ૧૦/૦૮/૨૦૨૦ કોડીનાર ખાતે વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજ યુવક મંડળ દ્વારા જ્ઞાતિના વિદ્યાર્થીઓને અભ્યાસ કીટ વિતરણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમ કોડીનાર ખાતે કરવામાં આવ્યો હતો. જેમાં આશરે ૭૦ જેટલા વિદ્યાર્થીઓને રાહત દરે અભ્યાસ કીટ આપવામાં આવી હતી.
કોરોના મહામારીના લીધે શાળા તથા કોલેજ બંધ હોય જે ધ્યાને લઈને વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજ યુવક મંડળ કોડીનાર દ્વારા અભ્યાસ કીટ વિતરણ નું આયોજન કરવામાં આવેલ જેથી સમાજના વિદ્યાર્થીઓને અભ્યાસમાં ઉત્સાહ વધે અને સાથે સાથે કોરોના મહામારી ધ્યાને લઈને ૧૫૦ જેટલા માસ્કનું પણ વિતરણ કરાયું હતું.
આ કાર્યક્રમ સરકારની ગાઈડ લાઈન મુજબ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોશીયલ ડિસ્ટન્સ, માસ્ક તેમજ સેનીટાઇઝરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
રિપોર્ટર : ભગીરથ અગ્રાવત, કોડીનાર